શ્રી સોમનાથ ટ્રસ્ટ અને ડિવાઇન ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા યાત્રી સુવિધા કેન્દ્ર (T.F.C) ખાતે નિ:શુલ્ક દંતયજ્ઞ કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, સોમનાથ

       શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા લોકોની સુખાકારી માટે વિના મૂલ્યે સારવાર તથા નિદાન કેમ્પ યોજાય છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ ટી.એફ.સી( ટુરિસ્ટ ફેસીલીટી સેન્ટર) ખાતે દર માસની 1 લી તારીખે દંતચિકિત્સા કેમ્પ સવારે 09:00થી12:30 વાગ્યા સુધી યોજાય છે.

      આજરોજ આ દંતચિકિત્સા કેમ્પ શ્રી સોમનાથ ટી.એફ.સી (ટુરિસ્ટ ફેસીલીટી સેન્ટર)ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટ તેમજ ડિવાઇન ચેરીટેબલ ટ્રસ્ટ -રાજકોટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ.જે દંતચિકિત્સા કેમ્પમાં ડોક્ટર,નર્સિંગ સ્ટાફ દ્વારા (67) જેટલા દર્દીઓનું નિદાન કરી.(40) જેટલા લાભાર્થીઓને બત્રીસી ફીટ કરી આપવામાં આવેલ.જેનો લાભાર્થીઓ એ લાભ લઇ શ્રી સોમનાથ ટ્રસ્ટ મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કરેલ. દંતચિકિત્સા કેમ્પનો લાભ લેવા જરૂરિયાતવાળા સર્વેને વિનંતી છે.  

 

Related posts

Leave a Comment